આદિવાસી સુરક્ષા યાત્રા આજે સુરત શહેરમાં.
संवाददाता मुकेश कुमार जोशी चित्तौड़गढ़ ક્રાંતિવીર બિરસા મુંડા ના ગામ ઉલીહાતુ થી નિકળેલી અને ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ના આદિવાસી વિસ્તારોમાં ફરી આદિવાસી સુરક્ષા યાત્રા હાલ ગુજરાતમાં છે. જે આજે સુરત શહેરમાં આવી હતી.
આદિવાસી સુરક્ષા યાત્રા આજે સુરત શહેરમાં.
संवाददाता मुकेश कुमार जोशी चित्तौड़गढ़
ક્રાંતિવીર બિરસા મુંડા ના ગામ ઉલીહાતુ થી નિકળેલી અને ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ના આદિવાસી વિસ્તારોમાં ફરી આદિવાસી સુરક્ષા યાત્રા હાલ ગુજરાતમાં છે. જે આજે સુરત શહેરમાં આવી હતી.
આ ઐતિહાસિક યાત્રા કુલ ૫૦૦૦ કરતાં વધારે કિલોમીટર અને ૫૪ દિવસ સુધી ચાલનાર છે. યાત્રા ના લિડર રાજુ વલવાઈ અને કન્વીનર કેતન કુમાર બામણીયા દ્વારા જણાવ્યું હતું કે આ યાત્રા દેશમાં આજે આદિવાસી સૌથી અસુરક્ષિત હોવાનું માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં આદિવાસીઓ પર સરકાર પ્રેરિત અત્યાચારો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ઠેર ઠેર વિકાસના નામે જેનું અસ્તિત્વ જમીનથી જોડાયેલું છે એ આદિવાસીઓને જમીનથી બેદખલ કરવામાં આવી રહ્યા છે. આદિવાસીઓના બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યા છે. સીદી માં આદિવાસી પર થયેલ મૂત્ર વિસર્જન અને મણિપુરમાં આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી અને બળાત્કાર ગુજાર્યો જેવી ઘટનાઓ થી આદિવાસી ખૂબજ આક્રોશિત થયો છે. ત્યારે દેશના આદિવાસીઓ એક થઈ ને લડે એ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રા જ્યાં જ્યાં ફરી છે ત્યાં ત્યાં ખૂબ પ્રતિસાદ મળ્યો છે અને હવે આદિવાસી એક થઈને લડે એ માટે તૈયાર થઈ રહ્યો હોવાની ખાતરી થઈ છે. આખી યાત્રા દરમિયાન ખાસ તો યાત્રાના ત્રણ સંદેશ દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ, સાંસ્કૃતિક શુદ્ધિકરણ, સામાજિક તથા રાજનીતિક જાગૃતતા લાવવા પર આદિવાસી સહમત થતા દેખાયા. સાથે સાથે હવે આદિવાસી આત્મનિર્ભર પણ બને એ ખૂબ જરૂરી હોઇ હવે આદિવાસી જીવનમાં, વૈચારિક રીતે, સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને ખાસ તો રાજકીય પક્ષો ની ગુલામી છોડી રાજકીય રીતે પણ આત્મનિર્ભર બનવા તૈયાર રહેવું જોઈએ એમ પણ જણાવ્યું હતું.
આ યાત્રા ને સુરત શહેરમાં રહેતા આદિવાસી સમાજે ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. જેમાં....................... હાજર રહી યાત્રા ના લિડર રાજુ વલવાઈ અને સાથીઓ નું ફૂલહાર તથા પારંપરિક ઢોલ વાજાં સાથે ધામધૂમથી સ્વાગત કર્યું હતું.
બાદમાં............ મુકામે આદિવાસી સમાજની મીટિંગ પણ યોજાઈ હતી જેમાં યાત્રાના સંદેશ ઉપરાંત વર્તમાન અને ભવિષ્યમાં આદિવાસીઓ માટે ઉભા થનારા પડકારોની ચર્ચા પણ થઈ હતી. આવતી કાલે યાત્રા બારડોલી, વ્યારા બાજુ જવા રવાના થશે.